Episode - 6 મારી નજરે અમદાવાદ.... અમૃતવર્ષીની વાવ
અમદાવાદના સારંગપુર ની નજીક આવેલા પાંચકુવા વિસ્તારની આ વાત છે. જે તે સમયે એ વિસ્તારમાં આવેલા પાંચ કુવા ને લીધે જાણીતી થયેલી આ જગ્યા. આજે કાપડ બજારથી ધમધમતા અને વાહનોના ટ્રાફિક માં ખોવાઈ ગયેલી જમીનની અંદર પાણી નો અમૃતકુંભ લઈને ઉભેલી એક વાવ. એ વાવ એટલે "અમૃતવર્ષીની વાવ." Amritavarshini Stepwell, Panchkuva, Ahemdabad આ વાવ પાંચ કુવા વિસ્તારમાં આવેલી હોવાથી તે પાંચ કૂવા વાવ તરીકે પણ જાણીતી છે. જમીનની નીચે ત્રણ માળમાં આવેલી આ વાવ 50 ફૂટ ઉંડી છે. અમૃતવર્ષીની વાવ નું બાંધકામ ગુજરાતના મુગલ સુબા હૈદર કુલીન ખાનના દિવાન રઘુનાથદાસ દ્વારા કરવામાં આવ્યું હતું. ઈ.સ. ૧૭૨૩ માં આ વાવને લોકો માટે ખુલ્લી મૂકવામાં આવી હતી. ગુજરાતની આ એકમાત્ર વાવ છે કે જેનું બાંધકામ " L" આકાર માં થયેલું છે જેને કારણે આ વાવને " કાટખૂણી વાવ" તરીકે પણ ઓળખવામાં આવે છે. કાટખૂણી વાવ ( " L" આકાર ) આ વાવ ઓછી કોતરણી અને સરળ બાંધકામ ધરાવે છે. કમાનો વાળી આ વાવ હિન્દુ-મુસ્લિમ સ્થાપત્યની મિશ્ર શૈલી નો નમુનો છે. ૧૯૬૯માં ગુજરાત સરકાર દ્વારા આ વાવને રાજ્ય સંરક્ષિત સ્મારક ઘોષિત...