Episode - 4 મારી નજરે અમદાવાદ...કાંકરિયા તળાવ
આજ ની અટલ એક્સપ્રેસ , કિડસ સિટી , કમલા નહેરુ પ્રાણી સંગ્રહાલય , બાલવાટિકા , લેસર શો , નૌકા વિહાર અને ચોળાફળી માટે જાણીતાં અમદાવાદ શહેર ના મણિનગર વિસ્તાર માં આવેલા કાંકરીયા તળાવ ની અજાણી વાતો ની સફરે.. . તળાવ માં પાણીની આવક માટેના દરવાજા અને નગીનાવાડી સોલંકી વંશના રાજા કર્ણદેવ સોલંકીએ આશાવલ એટલે કે આજના આસ્ટોડિયા ના આશા ભીલને હરાવી ને કર્ણાવતી નગરી ની સ્થાપના કરી જે આજનું મણીનગર . કર્ણદેવ સોલંકીએ પોતાના નામ પરથી કર્ણાવતી નગર અને તેની બાજુમાં “ કર્ણસાગર ” તળાવ બંધાવ્યું . એ “ કર્ણસાગર ” તળાવ એટલે જ આજ નું આપણું કાંકરિયા તળાવ . પરંતુ મોગલ સલ્તનતના પગ-પેસારા સાથે જ ઇતિહાસે પણ પાનું ઉથલાવ્યું અને કર્ણાવતી નગર અને કર્ણસાગર તળાવ તેની નીચે ધરબાઈ ગયા અને જન્મ થયો અમદાવાદનો. કાંકરિયા તળાવ પાસે આવેલી તકતી પર લખ્યું છે તે મુજબ કાંકરિયા તળાવ નું કામ મહમ્મદ શાહ બીજાના સમયમાં શરૂ થયું અને કુતુબ - ઉદ - દિન અહમદશાહ બીજાના સમયમાં એટલે કે ઇ.સ. ૧૪૫૧ માં પૂરું થયું . કુતુબ - ઉદ - દિન અહમદશાહ બીજા એ આ તળાવનું નામ પોતાના નામ પર થી "હોજ-એ - કુતુબ" એવું આપ્યું . એક લોકવ...