પોસ્ટ્સ

2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

આપણો માસ્તર...

છબી
 

Episode - 7 મારી નજરે અમદાવાદ.... નૌબતખાનાં

છબી
મારી નજરે અમદાવાદ.... નૌબતખાનાં જો તમને કોઈ કામ સોંપવામાં આવે તો તમે કેટલા વર્ષો સુધી કરો ? સ્વાભાવિક છે કે આપણે એવું કહીએ કે હું જીવું ત્યાં સુધી આ કામ કરીશ પરંતુ મારા છોકરાઓ કે ભાવિ પેઢીનું નક્કી નહીં એ કરે કે ના પણ કરે. પરંતુ અમદાવાદની પોળમાં હજુ પણ એક કામ છેલ્લા ૬૦૦ વર્ષ થી થઈ રહ્યું છે. શું વાત કરો છો ?                                            હા , અહમદશાહ બાદશાહના હુકમથી શરૂ થયેલું નૌબતખાનાં આજ સુધી અવિરતપણે બાદશાહના હુકમનું પાલન કરી રહ્યું છે. નૌબત ખરેખર એક પ્રકારનું સંગીત છે જે શેહનાઈ (શરણાઈ) અને ઢોલ - નગારા નો ઉપયોગ કરીને વગાડાય છે. રાજાના હજીરા પાસે આવેલું નૌબતખાનાં બાદશાહ દ્વારા નિમાયેલા ખાસ સંગીતકારો અમુક ચોક્કસ સમય અને ચોક્કસ પ્રસંગોપાત પર નૌબત   વગાડતાં હતાં. નૌબતખાનાં ના સંગીતકારો સુલતાનના આવા-ગમન , રાજવી મહેમાનો ની ખુશામત પર , રાજપરિવાર ના ...

Episode - 6 મારી નજરે અમદાવાદ.... અમૃતવર્ષીની વાવ

છબી
અમદાવાદના સારંગપુર ની નજીક આવેલા પાંચકુવા વિસ્તારની આ વાત છે. જે તે સમયે એ વિસ્તારમાં આવેલા પાંચ કુવા ને લીધે જાણીતી થયેલી આ જગ્યા.    આજે કાપડ બજારથી ધમધમતા અને વાહનોના ટ્રાફિક માં ખોવાઈ ગયેલી જમીનની અંદર પાણી નો અમૃતકુંભ લઈને ઉભેલી એક વાવ. એ વાવ એટલે "અમૃતવર્ષીની વાવ." Amritavarshini Stepwell, Panchkuva, Ahemdabad આ વાવ પાંચ કુવા વિસ્તારમાં આવેલી હોવાથી તે પાંચ કૂવા વાવ તરીકે પણ જાણીતી છે. જમીનની નીચે ત્રણ માળમાં આવેલી આ વાવ 50 ફૂટ ઉંડી છે. અમૃતવર્ષીની વાવ નું બાંધકામ ગુજરાતના મુગલ સુબા હૈદર કુલીન ખાનના દિવાન રઘુનાથદાસ દ્વારા કરવામાં આવ્યું હતું. ઈ.સ. ૧૭૨૩ માં આ વાવને લોકો માટે ખુલ્લી મૂકવામાં આવી હતી. ગુજરાતની આ એકમાત્ર વાવ છે કે જેનું બાંધકામ " L" આકાર માં થયેલું છે જેને કારણે આ વાવને " કાટખૂણી વાવ" તરીકે પણ ઓળખવામાં આવે છે. કાટખૂણી વાવ ( " L"  આકાર ) આ વાવ ઓછી કોતરણી અને સરળ બાંધકામ ધરાવે છે. કમાનો વાળી આ વાવ હિન્દુ-મુસ્લિમ સ્થાપત્યની મિશ્ર શૈલી નો નમુનો છે. ૧૯૬૯માં ગુજરાત સરકાર દ્વારા આ વાવને રાજ્ય સંરક્ષિત સ્મારક ઘોષિત...

Episode - 5 મારી નજરે અમદાવાદ....દાદા હરીર વાવ

છબી
અમદાવાદ અને તેના આજુબાજુના વિસ્તારોમાં પાણી તાણ હંમેશા વર્તાતી રહી છે. આથી જ અમદાવાદ અને તેની આજુબાજુના વિસ્તારમાં પાણીના પ્રશ્નો નિવારવા માટે લોકો કુવા અને વાવનું નિર્માણ કરાવતા. આજે આપણે એવી જ એક વાવ ની વાત કરીશું જેનું નામ છે દાઈ હરીરની વાવ. હા, દાઈ હરીરની વાવ જેને આપણે આજે દાદા હરિ ર  વાવ તરીકે ઓળખીએ છીએ. અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલી દાઈ હરીરની વાવ મોહમ્મદ શાહ ના સમયમાં " બાઇ હરિર સુલતાની  " એ બંધાવી હતી. હરિર સુલતાની એ મોહમ્મદ શાહ ના દરબારમાં એક શક્તિશાળી અને ચતુર નિરીક્ષક હતા તેઓએ ખુદ આ વાવનું બાંધકામ કરાવ્યું હતું. એ સમયમાં ૩, ૨૯,૦૦૦ મોહમ્મદી (એ વખતનું ચલણ) એટલે કે ત્રણ લાખ રૂપિયા ના ખર્ચે બનાવાઈ હતી. હરિર સુલતાની એક પરિચારિકા હતા એટલે તેને “દાઈ” તરીકે પણ ઓળખાતા. ફોર્બ્સ સર્વે મુજબ દાદા હરીરની વાવ ને “નર્સ વેલ” પણ કહેવાય છે.  વાવ ની પાસે આવેલી આરસની તકતી પર લખ્યું છે તે મુજબ તેનું બાંધકામ ડિસેમ્બર ૧૪૯૯ માં પૂરું થયું હતું. રેત પથ્થરથી બનેલી વાવની બાંધણી સોલંકી વંશના સ્થાપત્ય ને મળતી આવે છે.  બહારથી સાવ સાદી દેખાતી વાવ જ્યારે તમે અંદર ઊતરો ત્યારે ખબર પડ...